અમદાવાદમાં પુત્રની ઈનસાઈડ સ્ટોરી પિતાએ કહ્યું, મને અફસોસ નથી, મેં એ કર્યું જે એ મારી સાથે કરવા માંગતો હતો જાણો એ ભયાનક દિવસે શું થયું હતું જોવો વીડિયો
અમદાવાદના વાસણા અને પાલડી વિસ્તારમાંથી મળી આવેલા માનવ અંગોનો ભેદ અમદાવાદ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. આંબાવાડી વિસ્તારમાં રહેતા નિવૃત્ત એસ.ટી.ના અધિકારીએ પોતાના પુત્રની કરી અને તેના શરીરના ટૂકડા અલગ અલગ જગ્યાએ ફેંક્યા હોવાનો ખુલાસો થયો છે. પિતાએ પોતાના પુત્રની ઉગ્ર આવેશમાં આવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બેકાર ઝઘડાખોર અને પીવાની ટેવ ધરાવતા પુત્રની સાથે ઝઘડો થતાં પિતાએ તેની હત્યા કરી નાખી હતી. આરોપી પિતા ભક્તિભાવવાળા હોવાથી યુવાન પુત્રની હત્યા કરવા બદલ ભગવાનની માફી માંગવા માટે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે પણ ગયા હતા.
નાહીધોઈ અને પોતાના કરેલા આ કર્મની માફી માગી18 જુલાઈના રોજ આરોપી નિલેશ જોશીએ પુત્ર સ્વયમ જોશીની હત્યાકર્યા બાદ પુત્રની તેની નિકાલ કરવા માટે તેણે શરીરના ટુકડા કરીને પ્લાસ્ટીક બેગમાં ભરી અને અલગ-અલગ વિસ્તારમાં ફેકવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ ઈલેક્ટ્રીક કટર વડે ધડ, હાથ અને પગનાં ટુકડા કર્યા હતા. આરોપી નિલેશ જોશી ભક્તિભાવ અને ભગવાનમાં માનતા હોવાથી તેઓને આ પુત્રનીબાદ પસ્તાવો થયો હતો. જેથી નાહીધોઈ અને પોતાના કરેલા આ કર્મની માફી માંગવા માટે કાલુપુર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ભગવાનના દર્શન કર્યા બાદ તેઓ પરત ઘરે આવ્યા હતા અને તેઓએ બપોર બાદ એક ટુકડો વાસણા વિસ્તારમાં જ્યારે બીજા પાલડી વિસ્તારમાં ફેંક્યા હતા.
આરોપીના પત્ની અને દીકરી જર્મનીમાંઆરોપી નિલેશ જોશી 65 વર્ષીય નિવૃત સરકારી કર્મચારી છે.તે એસ.ટી.વિભાગમાં ફરજ બજાવતા હતા. આરોપીના પત્ની અને દીકરી જર્મની રહે છે જ્યારે આરોપી તેમના 21 વર્ષના પુત્ર સ્વયમ સાથે રહે છે. આરોપીની પૂછપરછ કરતા ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે નિલેશ જોશીનો પુત્ર સ્વયમ 10 ધોરણ સુધી ભણેલો છે. સ્વયંમ કોઈ કામ ધંધો કરતો નહતો અને રવાડે ચઢી ગયો હતો. સ્વયમ દારૂ તથા અન્ય નશીલા પદાર્થોનું સેવન કરતો હતો જેને લઈને પિતા પુત્ર વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા.
18 જુલાઈએ વહેલી સવારે 5 વાગ્યે18 જુલાઈના વહેલી સવારે 5 વાગે સ્વયમ નશાની હાલતમાં પિતા પાસે આવ્યો હતો અને પૈસા માંગવા પિતાને જ બીભત્સ ગાળો બોલીને ઘરમાં તિજોરીનો કાચ તોડી નાખ્યો હતો. આ ઝગડા દરમિયાન સ્વયમે તેના પિતાને પાવડાના લાકડાના હાથ વડે કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નિલેશ જોશીએ સ્વયમને લાત મારીને પલંગ પર પાડી દીધો હતો જે બાદ સ્વયમના માથામાં રસોડામાં રહેલ પથ્થરની ખાંડણી લઈને 7-હતા જેમાં સ્વયમનું થયું હતું.
સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો નિકાલ કરવા નિલેશ જોશી કાલુપુરથી ઇલેક્ટ્રીક ગ્રાઈન્ડર અને કાળા કલરની મોટી થેલી ખરીદીને લાવ્યો હતો. બાદમાં રસોડામાં લઈ જઈને દીકરાના માથાના, હાથ તથા પગને અલગ અલગ કાપીને 6 ટૂકડા કરી નાખ્યા હતા. આ ટૂકડા કરીને તેને પ્લાસ્ટિકની બેગમાં ભરીને એક્ટિવા પર લઈ જઈને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. લાશનો નિકાલ કર્યા બાદ આરોપી સુરત ભાગી ગયો હતો. સુરતથી ગોરખપુર ટ્રેનમાં જવા રવાના થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને પકડીને અમદાવાદ લાવી છે. અમદાવાદ લાવી અરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
વાસણા અને એલિસ બ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ અંગોની હત્યાના ગુનામાં મોટો ખુલાસો થયો છે. આમિસ્ટરીમાં પિતાએ જ પોતાના સગા દીકરાની કરી.ટુકડા કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાની ધરપકડ કરી છે. જોકે પિતાને પુત્રની સહેજ પણ પસ્તાવો નથી. હત્યા પાછળનું કારણ સાંભળી તમે પણ ચોંકી જશો.
પિતા નેપાળ ભાગવાની ફિરાકમાં હતોકોઈપણ જંગલી ઘોડાને કાબુ કરનાર પુત્ર જ બેકાબુ બનતા પિતાએ જ આવા પુત્રની કરપીણ કરી. અમદાવાદમાં 17 જુલાઈની તારીખે રાતે પિતા નિલેશ જોશીએ પોતાના 21 વર્ષિય પુત્ર સ્વયંમની કરપીણ હત્યા કરી. હત્યાના પુરાવાનો નાશ કરવાના ઈરાદે ટુકડા કરી વાસણા, એલિસબ્રિજ અને જીએમડીસી મેદાન ખાતે નાંખી દીધા હતા. જોકે હત્યારો પિતા નિલેશ જોશી નેપાળ ભાગે તે પહેલા જ બ્રાન્ચે તેને રાજસ્થાન ખાતેથી ઝડપી લીધો અને હત્યાની અધુરી કડીઓ જોડાઈ ગઈ.
પુત્રની કરી પિતા કાલુપુર મંદિરે દર્શને ગયો હતોપુત્ર સ્વયમની હત્યા કરી નિલેશ જોષી દેશ છોડી દેવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. જોકે હત્યાના ઘટના ક્રમ પર નજર કરીએ તો, 17 તારીખે મોડી રાતે દારુના નશામાં રહેલા સ્વંયમે પોતાના પિતા પર હુમલો કર્યો. જે નિલેશ જોશીએ સ્વયંમને ગુપ્ત ભાગે લાત મારતા તે ઢળી પડ્યો અને બાદમાં તેના માથામા પાંચ છ વાર દસ્તો મારતા તેનું મોત નિપજ્યુ હતું. 18 તારીખે સવારે નિલેશ જોશીએ વહેલી સવારે કાલુપુર મંદિરે દર્શન કરવા ગયો હતો. બાદમાં કાલુપુર માર્કેટમાંથી ઈલેક્ટ્રિક કટર અને પ્લાસ્ટિકની બેગ ખરીદી ઘરે આવ્યો હતો. જે કટર વડે સ્વંયમના માથુ- ધડ અને હાથ-પગ ના ટુકડા કરી 18 તારીખે જ શહેરના અલગ અલગ વિસ્તારમા તેનો નિકાલ કર્યો હોવાની કબુલાત આરોપી પિતાએ કરી છે.
પુત્રની કોઈ પસ્તાવો નથી – પિતા ક્રાઈમ બ્રાન્ચે હત્યારા પિતાને વિશે પૂછપરછ કરતા આરોપીને પોતાના જ પુત્રની કોઈ પસ્તાવો ન હતો તેવુ જણાવ્યું. પરંતુ આરોપીએ કહ્યું કે, પુત્રએ મારી જિંદગી બરબાદ કરી નાંખી છે. જ્યારે તે નશો કરી ઘરે આવતો ત્યારે તે ધમકી આપતો હતો કે તારી ટુકડા કરી નાંખી દઈશ. માટે પુત્ર જે કરવાનો હતો તે જ ઘટનાને પિતાએ અંજામ આપી. હત્યા બાદ પિતાએ જ તેના ટુકડા કરી અલગ અલગ જગ્યાએ નાંખી દીધા હતા. સાથે જ હત્યા બાદ નિલેશે પોતાની પત્નીને ફોન કરી દીકરાની માહિતી આપી હતી. જેથી પત્નીએ હવે ક્યારેય વાત નહિ કરે તેવું કહી દુઃખ વ્યક્ત કરી નારાજગી દર્શાવી. તે બાદ દીકરીનો ફોન આવ્યો કે તમે ગોરખપુર થઈ નેપાળ અને ત્યાંથી દુબઈ થઈ જર્મની આવી જાઓ. માટે જ હત્યારો પિતા સુરતથી ટ્રેનમાં બેસી દેશ છોડી દેવા માટે નીકળ્યો હતો.
સ્વંયમ જંગલી ઘોડાને પણ કાબૂ કરી શક્તો, પણ દારૂનું વ્યસન ન છોડી શક્યો મૃતક સ્વયંમ અંગે પૂછપરછ કરતા સામે આવ્યુ કે, તે ઘોડેસવારમાં ગુજરાતમાં પ્રથમ નંબર લાવ્યો હતો. તે કોઈપણ જંગલી ઘોડાને કાબુ કરી શક્તો હતો. પરંતુ તે આ જીત પચાવી ન શક્યો અને નશાના રવાડે ચઢી ગયો. ઉગ્ર સ્વભાવને તે કાબુ ન કરી શક્યો અને 17 તારીખે વહેલી સવારે તેણે 4 વાગે પિતા પાસે જમવાનુ માંગતા પિતા પુત્ર વચ્ચે મારામારી થઈ હતી, અને તે મારામારી હત્યામાં પરિણમી હતી. સાથે જ મૃતક સ્વયંમ 10 ધોરણ જ ભણ્યો હતો. પરંતુ તેના પિતા 65 વર્ષે પણ સંસ્કૃતમાં માસ્ટર્સમાં અભ્યાસ કરતા હતા. તે બાબતે પણ પિતા પુત્ર વચ્ચે તકરારો થતી હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે હવે આરોપીની તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવું રહ્યું. માતા અને બહેન જર્મનીમાં રહે છે, જ્યારે પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ જતા આ કેસમાં અંતિમવિધિ પોલીસ તરફથી કરવાની તૈયારી શહેર પોલીસ તરફથી દર્શાવવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujarati Post” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujarati Post” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ…